(N/A) $\Rightarrow$ શોષાયેલા ખનિજો બાષ્પોત્સર્જન ખેંચાણ (transpiration pull) દ્વારા પાણીની સાથે જલવાહક પેશી $(xylem)$ મારફતે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચે છે.
$\Rightarrow$ ખનિજો મુખ્યત્વે સક્રિય વૃદ્ધિ અને વિકાસ પામતા પ્રદેશો જેવા કે અગ્રીય અને પાર્શ્વ વર્ધનશીલ પેશીઓ,કુમળા પર્ણો,વિકાસ પામતા પુષ્પો,ફળો,બીજ અને સંગ્રહસ્થાન અંગોમાં વહન પામે છે.
$\Rightarrow$ આયનોનું વહન પ્રસરણ અને સક્રિય વહન બંને દ્વારા થાય છે. ખનિજોનું મુક્ત થવું (unloading) પર્ણશિરાઓના અંતિમ છેડે પ્રસરણ અને કોષો દ્વારા સક્રિય શોષણ દ્વારા થાય છે.
$\Rightarrow$ ખનિજો વારંવાર જૂના અને વૃદ્ધત્વ પામતા ભાગોમાંથી યુવાન અને વિકાસ પામતા ભાગોમાં પુનઃસ્થળાંતરિત થાય છે. ફોસ્ફરસ,સલ્ફર,નાઇટ્રોજન અને પોટેશિયમ જેવા તત્વો ખૂબ જ ગતિશીલ છે. જોકે,કેલ્શિયમ જેવા કેટલાક તત્વો કોષદીવાલના બંધારણીય ઘટકો હોવાથી તેમનું પુનઃસ્થળાંતર થતું નથી,તેથી વનસ્પતિના તમામ ભાગોને સમાન પ્રમાણમાં ખનિજો મળતા નથી.